અમારા વિષે
અમે વ્યક્તિના સશક્તિકરણથી સમાજની સેવા કરીએ છીએ
એક વૈશ્વિક ચળવળ...
- 44 વર્ષોથી કાર્યરત
- 180 દેશોમાં 10,000 ઉપરાંત કેન્દ્રો
- 80 કરોડથી વધુ લોકોના જીવનને અસર કરી છે
180 દેશોમાં કાર્યરત છે તે ધી આર્ટ ઓફ લિવિંગ એક બિનનફાકારક,શૈક્ષણિક અને માનવતાવાદી સંસ્થા છે જેની સ્થાપના 1981માં જગપ્રસિદ્ધ માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજીએ કરી હતી. અમારા તમામ કાર્યક્રમોની પ્રેરણા છે ગુરુદેવની ફિલસુફી: ”જો આપણું મન માનસિક તણાવથી મુક્ત નહીં હોય અને સમાજ હિંસામુક્ત નહીં હોય તો આપણે વિશ્વમાં શાંતિ નહીં સ્થાપી શકીએ.”
આર્ટ ઓફ લિવિંગનો સમુદાય વૈવિધ્યસભર છે અને જીવનના દરેક ક્ષેત્રના લોકો તેના તરફ આકર્ષાયેલા છે.
આર્ટ ઓફ લિવિંગ જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટેનો એક સિધ્ધાંત, એક ફિલસુફી છે. તે એક સંસ્થા હોવા કરતાં એક પ્રકારની ચળવળ છે. તેનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિએ પોતાની અંદર શાંતિ સ્થાપવી અને સમાજમાં વિવિધ સંસ્કૃતિ, પ્રણાલિ, ધર્મ અને રાષ્ટ્રીયતાના લોકો વચ્ચે સંપ સ્થાપવો એ છે. અને આમ આપણે સૌ યાદ રાખીએ કે આપણા સૌનું એક લક્ષ્ય એ છે કે સર્વત્ર માનવ જીવનનો ઉદ્ધાર કરવો.
- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
જીવન પરિવર્તન

સુદર્શન ક્રિયા યોગ લોકોને ઊંડી ધ્યાનની સ્થિતિનો અનુભવ કરવા માટે સક્રિય પદ્ધતિ આપે છે.

સુદર્શન ક્રિયા – શાંતિપૂર્ણ જીવનની ચાવી

આર્ટ ઓફ લિવિંગ એ પૃથ્વી પર સૌથી ઝડપથી વિકસતી આધ્યાત્મિક પ્રથા હોઈ શકે છે

ડિપ્રેશન માટે રાહત આપવાનું વચન દર્શાવે છે

એવા વર્ગો કે જે તમને શ્વાસ લેવાની કળા શીખવશે

શ્વાસ એ નવો યોગ છે!

પ્રભાવશાળી પરિણામો

અમારા કેન્દ્રો
અમારા કેન્દ્રો
180 દેશોમાં શાંતિનો પ્રસાર કરી રહેલા અને “વસુધૈવ કુટુમ્બકમ” સર્જવામાં સહાયરૂપ થઈ રહેલા 10,000 થી વધુ આર્ટ ઓફ લિવિંગના કેન્દ્રો વિષે જાણો.
અમારો સંપર્ક કરવા
ભારતમાં ઓફીસ
+91 80 6761 2345, +91 80 2843 2833 (ફેક્સ)
કાર્યક્રમો અને નોંધણી પૂછપરછ:
support@artofliving.online
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજીની ઓફીસ,
આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્દ્, ૨૧કિમી, કનકપુરા રોડ, ઉદયપુરા, બેંગ્લોર-દક્ષિણ, કર્ણાટક-560082, ભારત
secretariat@artofliving.org
સ્થાપક
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. 180 દેશોમાં ફેલાયેલા આ સમુદાયે એક વિશ્વ આધ્યાત્મિક કુટુંબ બનાવ્યું છે. ગુરુદેવનો સંદેશ સરળ છે: "પ્રેમ અને શાણપણ ધિક્કાર અને હિંસા પર જીત મેળવી શકે છે."આ સંદેશ માત્ર એક સૂત્ર નથી, પરંતુ આર્ટ ઓફ લિવિંગ દ્વારા આનું ક્રિયા અને પરિણામોમાં ભાષાંતર કરવામાં આવ્યું છે અને હાલ પણ ચાલુ છે.
વધુ જાણોશ્વાસ લેવાની સરળ તકનીક જે તમારી ચિંતાને 44% ઘટાડી શકે છે

સુદર્શન ક્રિયા શરીરમાં સંવાદિતા જગાવવામાં મદદ કરે છે.

જીવન પરિવર્તન

આર્ટ ઓફ લિવિંગની નિઃશુલ્ક શાળાઓ
ગિફ્ટ આ સ્મિલે
અમે દર વર્ષે 1,00,000+ વંચિત બાળકો માટે સર્વગ્રાહી શિક્ષણ પ્રદાન કરીએ છીએ. તમારા દાનની ખૂબ જ જરૂર છે એનો મહત્તમ ઉપયોગ થાય છે - 95% થી વધુ સીધા પ્રોગ્રામમાં જાય છે.
દાન કરો