કેદીઓના જીવનમાં પરિવર્તન

આઘાત-રાહત સંભાળ અને કૌશલ્ય તાલીમ સાથે કેદીઓનું પુનર્વસન
icon

પડકાર

હિંસાના ચક્રમાં અટવાયેલા કેદીઓ

icon

કાર્યપદ્ધતિ

ગુસ્સો, તણાવ ઘટાડવા માટે શ્વાસ લેવાની વિશેષ તકનીક વડે કેદીઓનું પરિવર્તન

icon

ઉપલબ્ધિ

વિશ્વભરના 65 થી વધુ દેશોમાં 8 લાખ કેદીઓનું અને જેલમાં સ્ટાફ નું હૃદય પરિવર્તન

વિહંગાવલોકન

અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિ કે જેણે ગુનાનો આશરો લેવો પડ્યો હતો તેને બદલવાની અને અર્થપૂર્ણ જીવન જીવવાની શરૂઆત કરવાની તક આપવી જોઈએ. આર્ટ ઓફ લિવિંગ જેલ કાર્યક્રમ બંને માટે રચાયેલ છે; જેઓ જેલમાં કેદ છે અને જેઓ ફોજદારી ન્યાય વ્યવસ્થામાં સેવા આપે છે.

આ પ્રોગ્રામે કૌશલ્યો શીખવીને જીવનમાં પરિવર્તન લાવ્યું છે જે તણાવ ઘટાડે છે, આઘાતમાંથી સાજા કરે છે અને નકારાત્મક લાગણીઓ સાથે વ્યવહાર કરવાની વ્યવહારુ પદ્ધતિઓ પ્રદાન કરે છે.

આ કાર્યક્રમ કેદીઓ અને હિંસાનો ઈતિહાસ ધરાવતા લોકોને અપરાધ પાછળના ચક્રમાંથી બહાર આવવામાં મદદ કરે છે.

વિવિધ જેલ સત્તાવાળાઓ અને સશસ્ત્ર દળો સાથે કામ કરીને, અમે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 8 લાખથી વધુ કેદીઓ માટે કાર્યક્રમો હાથ ધર્યા છે. ઘણા કેદીઓ જેમના જીવનને અમે સ્પર્શ્યા હતા તેઓ હવે આર્ટ ઑફ લિવિંગ પ્રોગ્રામના શિક્ષક બની ગયા છે અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા અમારી સાથે કામ કરી રહ્યા છે.

દરેક ગુનેગારની અંદર એક પીડિત મદદ માટે બૂમો પાડતો હોય છે. જ્યારે તમે પીડિતને સાજો કરો છો, ત્યારે ગુનેગાર ગાયબ થઈ જાય છે.

- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

પડકાર

વર્ષોની કેદના પરિણામે સ્વ-મૂલ્યની વધુ ખોટ, ગુસ્સો, ચિંતા અને નિરાશાની વધતી જતી ભાવના. મોટાભાગના કેદીઓ એવી દ્રઢ માન્યતા કેળવે છે કે તેઓ ગુના પાછળના ચક્રમાંથી ક્યારેય બહાર નીકળી શકશે નહીં. 

તેમની મુક્તિ પછી, મુખ્ય પ્રવાહના સમાજમાં કેદીઓનું એકીકરણ એક પડકાર છે કારણ કે સમાજ તેમને સ્વીકારવામાં નિષ્ફળ જાય છે. જેમ કે, ઘણા કેદીઓ તેમની મુક્તિ પછી ગુનામાં પાછા ફરે છે અને એક દુષ્ટ (ખરાબ વાતવરણ) ચક્ર બનાવે છે.

જેલના કર્મચારીઓ માટે કેદીઓ પ્રત્યેનું વલણ બદલવું મુશ્કેલ છે કારણ કે તેઓ પોતે જ વધારે કામ કરે છે અને કઠિન પરિસ્થિતિઓમાં સતત કામને કારણે તણાવમાં હોય છે.

હિંસાનું વિષચક્ર

કાર્યપદ્ધતિ

અમારા જેલ કાર્યક્રમમાં ત્રણ-પગલાંનો સમાવેશ થાય છે:

કેદીઓને ભાવનાત્મક રીતે સાજા કરવા:  અમે અમારા જેલ કાર્યક્રમમાં શ્વાસ લેવાની વિશેષ તકનીકો શીખવીએ છીએ જે કેદીઓને આઘાત, અપરાધ અને ગુસ્સા જેવી નકારાત્મક લાગણીઓના ચક્રમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. અમે નિયમિત ધોરણે આ કાર્યક્રમો યોજીએ છીએ જે આખરે કેદીઓને આ લાગણીઓને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે કેદીઓ ગુસ્સો અને તાણમાંથી મુક્ત થાય છે, ત્યારે તેઓ મુક્ત થયા પછી ગુનામાં પાછા ફરવા કરતાં સમાજમાં ફાળો આપે તેવી શક્યતા વધુ હોય છે.

આજીવિકા પૂરી પાડવી: અમે કેદીઓ માટે વ્યવસાયિક તાલીમનું આયોજન કરીએ છીએ જેથી કરીને તેઓ મુક્ત થયા પછી પ્રતિષ્ઠિત માધ્યમો દ્વારા આજીવિકા કમાવવા માટે પાછા જઈ શકે..

જેલના કર્મચારીઓને તાણ દૂર કરવી: અમે કાયદા અમલીકરણ એજન્સીઓમાં જેલના કર્મચારીઓ અને અન્ય લોકો માટે વિશેષ રીતે તૈયાર કરાયેલા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ જેથી તેઓને તણાવ દૂર કરવામાં મદદ મળે અને તેઓ વધુ કાર્ય કરવા સક્ષમ બને.

અમારો ત્રણ-પગલાંનો અભિગમ:

icon

કેદીઓને ભાવનાત્મક રીતે સાજા કરવા

શ્વાસ લેવાની તકનીકો વડે

icon

આજીવિકા પૂરી પાડવી

કેદીઓ માટે વ્યાવસાયિક તાલીમનું આયોજન કરીને

icon

જેલના કર્મચારીઓ પર તણાવ ઓછો કરવો

ખાસ રીતે તૈયાર કરાયેલા કાર્યક્રમો હાથ ધરીને

અસર

8 લાખ+

અનુભવ

પરિવર્તનનો

7,000+

સશસ્ત્ર બળવાખોરોએ

સુધારેલ

3.5 લાખ

કેદીઓ

ભારતની 100 જેલોમાં સુધર્યા

17

કૌશલ્ય વિકાસ કેન્દ્રો

ભારતભરની જેલોમાં

60,000

કેદીઓ

તિહાર જેલમાં લાભ મેળવ્યો

65

દેશોમા

જેલ કાર્યક્રમો ચલાવે છે