સુદર્શન ક્રિયા™

એક શક્તિશાળી શ્વાસ લેવાની પદ્ધતિ કે જેણે વિશ્વભરના લાખો લોકોના જીવનને બદલી નાખ્યું છે.

મારે શીખવું છે

સુદર્શન ક્રિયાTM એ શ્વાસના એક ચોક્કસ પ્રાકૃતિક લયનો સમાવેશ છે જે શરીર, મન અને લાગણીઓનો સુમેળ સાધે છે. શ્વાસ લેવાની આ અનોખી પદ્ધતિ તણાવ, થાક અને નકારાત્મક લાગણીઓ જેમ કે ગુસ્સો, અને હતાશા ને દૂર કરે છે, જેનાથી તમે શાંત છતાં ઉત્સાહિત, કેન્દ્રિત મન છતાં હળવા રહો છો.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે શ્વાસ એ મન અને શરીર વચ્ચેની આવશ્યક કડી છે. દરેક લાગણીમાં શ્વાસ લેવાનું એક અલગ સ્વરૂપ હોય છે. દાખલા તરીકે, જ્યારે આપણે ગુસ્સે હોઈએ છીએ ત્યારે શ્વાસ ટૂંકા થઈ જાય છે અને જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ, ત્યારે શ્વાસ લાંબા થઈ જાય છે.

એનાથી ઉલટું પણ સાચું છે, કે ચોક્કસ સ્વરૂપમાં શ્વાસ લેવાથી એને અનુરૂપ લાગણી પ્રેરિત થઈ શકે છે. તેથી આપણી લાગણીઓમાં ડૂબી જવાને બદલે, આપણે ચોક્કસ શ્વાસ લેવાની પદ્ધતિનો ઉપયોગ કરીને તેને બદલી શકીએ છીએ.સુદર્શન ક્રિયાTM દ્વારા આપણે જે રીતે અનુભવીએ છીએ તેને બદલવા માટે શ્વાસનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાનું શીખી શકીએ છીએ, તેથી તણાવ ,ક્રોધ, વ્યગ્રતા ઉદાસીનતા અને ચિંતા જેવી નકારાત્મક લાગણીઓને મુક્ત કરીને મનને સંપૂર્ણ રીતે ખુશ, હળવું અને ઉત્સાહિત કરે છે.

બૌદ્ધિક રીતે, તમે બધું જાણો છો, પરંતુ જ્યારે નકારાત્મકતા પૂરની જેમ આવે છે, ત્યારે તે તમારા પર હાવી થઈ જાય છે. તો શુ કરવુ ? અહીં, સુદર્શન ક્રિયાTM અને ધ્યાન જેવી શ્વાસ લેવાની પદ્ધતિ તમને લાગણીઓના પૂરમાંથી બહાર આવવામાં મદદ કરે છે.

- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજી

સુદર્શન ક્રિયા™ શીખો