જીવનને એક ઉત્સવ બનાવવું
1981 થી શ્વાસ, ધ્યાન અને યોગના કાર્યક્રમો દ્વારા સર્વગ્રાહી સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરીયે છીએ
ઉપાય મેળવો...
એક વૈશ્વિક ચળવળ...
- 44 વર્ષોથી પ્રચલિત
- 180 દેશોમાં 10,000 કરતાં વધુ કેન્દ્રો
- 80 કરોડ થી વધુ લોકો ના જીવન પ્રભાવિત કર્યા
ધ્યાનના કાર્યક્રમો
ધ્યાન, એ સંપૂર્ણ વિશ્રામ કરવાની અદભુત કળા છે
જીવન પરિવર્તન

શ્વાસ લેવાની સરળ તકનીક જે તમારી ચિંતાને 44% ઘટાડી શકે છે

સુદર્શન ક્રિયા શરીરમાં સંવાદિતા જગાવવામાં મદદ કરે છે.

જીવન બદલનારી શ્વાસ લેવાની ટેકનિક
સુદર્શન ક્રિયા™
આર્ટ ઓફ લિવિંગ કોર્સની આધારશિલા, સુદર્શન ક્રિયા™ ટેકનિકે વિશ્વભરના લાખો લોકોને તણાવ ઘટાડવા, વધુ સારો આરામ મેળવવા અને જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી છે. ચાર ખંડો પર હાથ ધરવામાં આવેલા અભ્યાસો અને યેલ અને હાર્વર્ડ સહિત પીઅર રિવ્યુડ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં એકંદરે જીવન સંતોષ વધારવા માટે કોર્ટિસોલ, તણાવ હોર્મોનમાં ઘટાડો થવાથી બીજા લાભોની વ્યાપક શ્રેણી દર્શાવવામાં આવી છે.
મૂળ અને લાભોયોગના કાર્યક્રમો
મન અને શરીર નું સંયોજન યોગ છે
મારી ઉર્જાનું સ્તર વધ્યું, અને ખૂબ જ અગત્યનું મને એક સાધન મળ્યું જે મારી સિસ્ટમમાંથી નકારાત્મકતાને દૂર કરી શકે છે. જ્યારે મારો તણાવપૂર્ણ દિવસ હોય ત્યારે હું સંપૂર્ણપણે સુદર્શન ક્રિયા…

શશાંક દીક્ષિત, 40
આઇટી સુરક્ષા નિષ્ણાત
સૌથી સારી વાત એ છે કે, હું ટૂંકા સમયમાં વધુ હાંસલ કરવામાં સક્ષમ છું અને તે બધું કરવા સક્ષમ છું જે હું હંમેશા કરવા માંગતો હતો. હું મારા કામ પર…

અમન કે લોહિયા, 35
સોફ્ટવેર પ્રોફેશનલ
સુદર્શન ક્રિયા પછી, હું મારા કૌશલ્યનો વિસ્તાર કરવામાં સક્ષમ બન્યો છું દા.ત.ઘટનાઓનું આયોજન અને સંકલન કરવાની મારી ક્ષમતામાં સુધારો થયો છે.તેણે મને વિવિધ પ્રકારના લોકો અને પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ…

સૌરભ પોલ
એન્જિનિયર અને તબલા વાદક
હું ઉદાસી સામાન્ય માનતો હતો પરંતુ સુદર્શન ક્રિયાનો અભ્યાસ કર્યા પછી મારું નામ બદલીને “ખુશી” (સુખ) રાખવામાં આવ્યું છે. હવે મારા માટે ખુશી એ જીવનનો માર્ગ છે.

સિલાજા, 38
ટ્રેનર, આઇટી પ્રોફેશનલ
સ્થાપક, આર્ટ ઓફ લિવિંગ
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર વૈશ્વિક માનવતાવાદી, આધ્યાત્મિક નેતા અને શાંતિના દૂત છે. ગુરુદેવની વ્યક્તિગત અને સામાજિક પરિવર્તનની દ્રષ્ટિ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી દ્વારા 180 થી વધુ દેશોમાં વૈશ્વિક ચળવળ પ્રજ્વલિત કરી છે, જેણે 80 કરોડ વધુ લોકોના જીવનનું ઉત્થાન કર્યું છે.
જીવન પરિચયમારે કોર્સમાં જોડાવું છે,પરંતુ....
એવું નથી કે ધ્યાન 60 વર્ષથી મોટા લોકો માટે છે?
જીવનમાં ધ્યાનનાં ફાયદાઓ જોતાં સમજાશે કે ધ્યાન બધા માટે જરૂરી છે. પ્રાચીન સમયમાં ધ્યાનનો ઉપયોગ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવાના માર્ગ તરીકે થતો હતો.ધ્યાન એ દુખ અને સમસ્યાઓ થી ઉગરવાનો માર્ગ હતો. વ્યક્તિની ક્ષમતાઓનો વિકાસ કરવા માટેનો તે માર્ગ હતો.
જો તમે ઈચ્છો તો આત્મસાક્ષાત્કારને અલગ રાખો. આજે સમાજમાં જે રીતે માનસિક તાણ અને ઉત્તેજના વ્યાપેલા છે ત્યારે ધ્યાન કરવું એ ખુબજ જરૂરી છે. જો તમે વધુ જવાબદારી લેતા હોવ તો તમારે ધ્યાન કરવાની વધુ જરૂર છે. તમારી જેટલી વધારે જવાબદારીઓ અને મહત્વકાંક્ષાઓ તેટલી તમારી ધ્યાન કરવાની જરુરીયાત વધારે.
જો તમારી પાસે કરવાનું કંઈજ નથી, તો કદાચ તમારે એટલું ધ્યાન કરવાની જરૂર નથી.. તમે જેટલા વધારે વ્યસ્ત રહેતા હોવ, તમારી પાસે જેટલો ઓછો સમય રહેતો હોય, તમારી ઈચ્છાઓ અને મહાત્વાકાંક્ષાઓ જેટલી વધારે હોય—તેટલી તમારે ધ્યાન કરવાની વધારે જરૂર છે. ધ્યાન તમને માત્ર માનસિક તાણ અને દબાણથી મુક્તિ નથી આપતું, પરંતુ તે તમારી ક્ષમતાઓમાં વૃદ્ધિ કરે છે, તમારા ચેતાતંત્ર તથા મનને મજબૂતી પણ બક્ષે છે. તે માત્ર માનસિક તાણ અને ઉત્તેજનાને નાબૂદ કરી શરીરમાંથી વિષદ્રવ્યોનો નિકાલ કરવામાં અને તે રીતે મનને શાંત કરવામાં જ મદદ નથી કરતું, પરંતુ તે તમને વધારે કાબેલ બનાવે છે, તમને દરેક રીતે ફાયદા કરે છે. એનાથી વધારે તમારે શું જોઈએ? જો તમારે સુખી અને તંદુરસ્ત રહેવું હોય તો તમારે ધ્યાન કરવું જ જોઈએ.
મારું શરીર પૂરતું નમણું નથી
આર્ટ ઓફ લિવિંગ કોર્સના ફાયદા મેળવવા માટે તમે તમારા માથા પર ઊભા રહી શકતા હોવા જોઈએ એવી જરૂર નથી!
અમારા કાર્યક્રમોમાં શીખવવામાં આવતી શ્વસન અને ધ્યાનની પ્રક્રિયાઓ માટે કોઈ વિશિષ્ટ શારીરિક કૌશલ્યોની જરૂર નથી હોતી. દુનિયાભરમાં 5 થી 90 વર્ષની ઉંમરના લાખો લોકો આ પ્રક્રિયાઓ કરી રહ્યા છે.
હું હમણાં વ્યસ્ત રહું છું
આ કાર્યક્રમો કોણે બનાવ્યા?
1982 માં ભારતના શિમોગામાં ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર, જે હવે વૈશ્વિક માનવતાવાદી અને સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક નેતા છે, દસ દિવસના મૌન સમયગાળામાં ગયા, ત્યારે સુદર્શન ક્રિયા™ અસ્તિત્વમાં આવી. તેમના શબ્દોમાં:
“હું દુનિયાભરમાં પ્રવાસ કરી ચુક્યો હતો.મેં યોગ અને ધ્યાન શીખવ્યા હતા, છતાં પણ મને લોકો સુખી જીવન જીવી શકે તે માટે કેવી રીતે મદદ કરી શકું તેની ફિકર રહેતી હતી. મને લાગતું હતું કે કંઇક ખૂટે છે. લોકો યોગ અને ધ્યાન કરતા હોવા છતાં વાસ્તવિક જીવનમાં તેઓ સાવ જૂદી રીતે વર્તતા, તેમનું જીવન વિભાજીત જણાતું. આથી, મને વિચાર આવતા કે કેવી રીતે આંતરિક શાંતિ અને જીવનની બાહ્ય અભિવ્યક્તિ વચ્ચેની આ ખાઈ પૂરી શકાય.
દસ દિવસના મૌન દરમ્યાન સુદર્શન ક્રિયા™ એક પ્રેરણા તરીકે આવી. કુદરત જાણે છે કે શું આપવું અને ક્યારે આપવું. હું મૌનમાંથી બહાર આવ્યો એ પછી હું જે કંઈ જાણતો હતો તે લોકોને શીખવવા લાગ્યો અને લોકોને અદભૂત અનુભવ થતા.”
- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજી
ત્યારથી સુદર્શન ક્રિયા™, જે એક અસરકારક, લયબદ્ધ શ્વસન પ્રક્રિયા છે તે આર્ટ ઓફ લિવિંગના કોર્સીસનું મુખ્ય અંગ રહેલી છે. શ્રી શ્રી રવિ શંકરજીએ પહેલો કોર્સ શિમોગામાં શીખવ્યો હતો. શ્રી શ્રી રવિ શંકરજીએ પ્રાચીન જ્ઞાનને આજના આધુનિક સમયમાં અપનાવી શકાય એટલું વ્યવહારિક બનાવ્યું છે અને છેલ્લા ચાર દસકાઓમાં લાખો લોકોના દૈનિક જીવનમાં યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ કરાવ્યો છે.
મને પરિણામ કેટલા ત્વરિત જોવા મળશે?
આર્ટ ઓફ લિવિંગના કોર્સીસનું મુખ્ય અંગ સુદર્શન ક્રિયા™ નામની પ્રક્રિયા છે. સુદર્શન એટલે હું કોણ છું તેનું યોગ્ય દર્શન, ક્રિયા એટલે શુદ્ધ કરનાર કાર્ય. તેનાથી મનને ગહેરી શાંતિ મળે છે અને શરીરનો દરેક કોષ ઊર્જાસભર થઇ જીવંત બને છે. શુધ્ધિકરણની આ પ્રક્રિયા અસરકારક રીતે માનસિક તણાવ દૂર કરે છે. પહેલી જ વાર કર્યા પછી તમે જોશો કે 1 કલાકના સમયગાળામાં જ તમારા શરીરના દરેક કોષના ઊંડાણ સુધી ઊર્જા અને ઓક્સીજન પ્રવેશે છે અને તમારું ગહેરાઈથી શુદ્ધિકરણ કરે છે. તમારા શરીરનો દરેક કોષ સાફ થાય છે, ઊર્જાન્વિત બને છે અને વધારે ઓકસીડાઈઝડ થાય છે.
તમને ક્યારેય એવી જીજ્ઞાસા થઇ છે કે કોઈ નકારાત્મક વિચાર કેવી રીતે ઉત્પન્ન થાય છે?
તમે નકારાત્મક વિચારના મૂળ સુધી જશો તો તમને સમજાશે કે તે ઉત્તેજના અને માનસિક તણાવને લીધે ઉદ્ભવે છે. એક સ્વસ્થ,સુખી માણસને નકારાત્મક વિચારો નથી આવતા.તમને સમજાય છે?વ્યક્તિ જેટલી વધારે દુખી, તેટલા તેને વધારે નકારાત્મક વિચારો આવે છે.મન પર સકારાત્મક વિચાર ઠોકી બેસાડવા કરતાં શ્વાસ દ્વારા,ધ્યાન દ્વારા પોતાની અંદર ઊંડાણે ઉતરો અને તંત્રને શુદ્ધ કરો.તેના મૂળ સુધી જાવ,તેના ઉદ્ભવના કારણને નાબૂદ કરો, નકારાત્મકતાના મૂળનેનાબૂદ કરો.તેમાં વધારે સમય નથી લાગતો. ખાસ કરીને સુદર્શન ક્રિયા™ ને લીધે આ પ્રક્રિયા ત્વરિત થાય છે. માત્ર બે જ દિવસ,રોજના ૧ કલાક માટે, ક્રિયા કરાવાય છે,જેનાથી શરીર એટલું તો શુદ્ધ થાય છે કે તમને એકદમ હળવું લાગે છે.
તમે શા માટે ફી લો છો?
આર્ટ ઓફ લિવિંગના કોર્સીસ મોંઘા નથી. જયારે કોર્સનું આયોજન કરવામાં આવે છે ત્યારે કેટલાક ખર્ચ થાય છે. સ્વયંસેવકોએ સભાખંડ ભાડે રાખવાનો હોય છે, વિવિધ જરૂરી વસ્તુઓ લાવવાની હોય છે. આથી કોર્સના પ્રદાનમાંથી આવેલી રકમનો થોડો ભાગ આ ખર્ચાઓમાં વપરાય છે. બાકીની રકમ ભારતભરમાં ચાલી રહેલી સેવા યોજનાઓ માટે વપરાય છે.
ઉપરાંત, જો કોર્સ નિ:શુલ્ક કરાવામાં આવે તો લોકોને તેની કિંમત રહેતી નથી. લોકો કોર્સને સંપૂર્ણપણે શીખવાની જવાબદારી લેતા નથી.
જીવનના પરિવર્તનશીલ અનુભવ
અમે કાળજી રાખીએ છીએ, અમે સહભાગી બનીએ છીએ
આર્ટ ઓફ લિવિંગની સામાજિક અસર
તમારા અસ્તિત્વના મૂળને મજબૂત કરો, તમારી દ્રષ્ટિને વિસ્તૃત કરો અને માનવતાની સેવા કરો એ આર્ટ ઓફ લિવિંગના મૂળ સિદ્ધાંતો છે. બાળ શિક્ષણથી લઈને નદીના કાયાકલ્પ સુધી, જંતુનાશક મુક્ત ખેતીથી લઈને વ્યવસાયમાં નીતિશાસ્ત્ર સુધી, સંઘર્ષના નિરાકરણથી લઈને હોનારત માં રાહત સુધી, આર્ટ ઓફ લિવિંગ ભારત અને વિશ્વભરના લોકો માટે માનવતાની સેવા કરવા માટેનું પ્લેટફોર્મ બની ગયું છે.
વધુ શીખોજ્ઞાન
પ્રેમ અને જ્ઞાનનું સંયોજન પરમાનંદ આપે છે અને જ્ઞાન વગરનો પ્રેમ દુખ.