આજે ઘણા લોકો હતાશાનો શિકાર બની રહ્યા છે. આ માટે વ્યસ્ત અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, અંતઃસ્ત્રાવોનું અસંતુલન, તણાવ અને આઘાતજનક જીવનના અનુભવોનો સામનો કરવામાં અસમર્થતાથી લઈને ઘણા કારણો હોઈ શકે છે. હતાશા (ડિપ્રેશન)ના લક્ષણો ગંભીરતા અને વ્યક્તિના આધારે બદલાઈ શકે છે. વ્યક્તિ અને આસપાસના લોકો માટે આ એક મુશ્કેલ અનુભવ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વૈશ્વિક સ્તરે, તમામ ઉંમરના 300 મિલિયનથી વધુ લોકો હતાશાથી પીડાય છે.
સારા સમાચાર: યોગ, ધ્યાન અને જમવાની વધુ સારી ટેવો જેવા કેટલાક સરળ જીવનશૈલી ફેરફારો છે જે હતાશાની લાગણીઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે? આયુર્વેદ અનુસાર, હતાશા (ડિપ્રેશન) એ સંકેત છે કે શરીર-મનના સંકુલમાં પ્રાણ અથવા જીવન શક્તિ ઓછી છે. પ્રાણ ઉત્સાહ, ખુશી અને શાંતિ માટે જવાબદાર છે. યોગ અને ધ્યાનનો નિયમિત અભ્યાસ પ્રાણના સ્તરને વધારવામાં મદદ કરે છે, જેનાથી હતાશાના લક્ષણો દૂર થાય છે. વાસ્તવમાં, ઘણા વૈજ્ઞાનિક અભ્યાસોએ યોગને હતાશા ધરાવતા લોકો પર હીલિંગ અસરો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે વ્યક્તિ પુનઃપ્રાપ્તિ તરફની યાત્રા પર હોય, ત્યારે આશાવાદી રહેવું અને વિશ્વાસ રાખવો મહત્વપૂર્ણ છે.
જીવન એ સુખ અને દુઃખનો સમન્વય છે. પીડા અનિવાર્ય છે પરંતુ દુઃખ એ વૈકલ્પિક છે. જીવન પ્રત્યે વ્યાપક દૃષ્ટિકોણ રાખવાથી તમને દુઃખદાયક સમયમાં આગળ વધવાની શક્તિ મળે છે. જાણો કે આ દુનિયામાં તમારી ખૂબ જ જરૂર છે. તેની તમામ અનંત શક્યતાઓ સાથે, આ જીવન એક ભેટ છે કારણ કે તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્ય ઘણા લોકો માટે પણ આનંદ અને ખુશીનો ફુવારો બની શકે છે.
– ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
હતાશા ઘટાડવા માટે યોગાસન
શિશુઆસન

- ઊંડો આરામ
- ચેતાતંત્રને શાંત કરે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે
શિશુઆસન વિશે વધુ જાણવા માટે.
હલાસન

- ચેતાતંત્રને શાંત કરે છે,તાણ અને થાક ઘટાડે છે
- થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરે છે, તમારા મૂડ અને ઊર્જાના સ્તરને સુધારવામાં મદદ કરે છે
હલાસન વિશે વધુ જાણવા માટે.
સવાસન

- ઊંડા અને ધ્યાનના આરામ માટે સક્ષમ , હતાશાના મુખ્ય કારણ તાણને મુક્ત કરે છે
- વાત દોષ ઘટાડવામાં મદદ કરે છે – વાયુ તત્વમાં અસંતુલન, જે તમને હતાશા અને બેચેનીનો અનુભવ કરાવી શકે છે
- તમને કાયાકલ્પ અને તાજગી આપવામાં મદદ કરે છે
સવાસન વિશે વધુ જાણવા માટે.
અધો મુખ શ્વાનાસન

અધો મુખ શ્વાનાસન વિશે વધુ જાણવા માટે.
- શરીરને ઊર્જાવાન અને કાયાકલ્પ કરે છે
- મગજમાં રક્ત પરિભ્રમણ વધારે છે, અને તમારા મૂડને સુધારવામાં મદદ કરે છે
- માથાનો દુખાવો, અનિદ્રા અને થાક દૂર કરવામાં મદદ કરે છે
સેતુ બંધાસન

- મગજને શાંત કરે છે, ચિંતા અને હતાશા ઘટાડે છે
- ફેફસાં ખોલે છે અને થાઇરોઇડની સમસ્યાઓ ઘટાડે છે, જે મૂડ બદલાવ અને હતાશાનું કારણ બને છે
સેતુ બંધાસન વિશે વધુ જાણવા માટે.
શ્વાસની કસરતો
શ્વાસની કસરતો અને પ્રાણાયામ, ખાસ કરીને હતાશામાંથી બહાર આવવામાં અસરકારક તકનિક છે.
ભ્રામરી પ્રાણાયામ
- ઉશ્કેરાયેલા મનને શાંત કરવામાં મદદ કરે છે
- આત્મવિશ્વાસનું નિર્માણ કરે છે
ભ્રામરી પ્રાણાયામ વિશે વધુ જાણવા માટે.
નાડી શોધન પ્રાણાયામ

નાડી શોધન પ્રાણાયામ વિશે વધુ જાણવા માટે.
- મનને વર્તમાનમાં લાવવામાં મદદ કરે છે, ભૂતકાળ અને ભવિષ્યના અનિચ્છનીય વિચારોનો ત્યાગ કરવામાં મદદ કરે છે
- નાડીઓને શુદ્ધ કરવામાં મદદ કરે છે – ઉર્જા ચેનલો, પ્રાણના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે
- સંચિત તણાવને મુક્ત કરે છે, અને હતાશા દૂર કરે છે
એક ડઝનથી વધુ પ્રકાશિત અભ્યાસોએ સુદર્શન ક્રિયા અને તેની સાથે શ્વાસ લેવાની તકનીકો (SKY) શીખી હોય અને પ્રેક્ટિસ કરી હોય તેવી વ્યક્તિઓમાં હતાશામાંથી નોંધપાત્ર રાહતનું દસ્તાવેજીકરણ કર્યું છે .આ અભ્યાસો એ ડિપ્રેશનની તીવ્રતાને ધ્યાનમાં લીધા વિના હતાશામાંથી રાહત મેળવવામાં 67-73% સફળતાનો દર દર્શાવ્યો છે.
કેટલીક ઉપયોગી ચાવીઓ
- હું સમાજ માટે શું કરી શકું: એવું વિચારીને, કોઈ મોટા ઉદ્દેશ્યમાં સામેલ થવાથી જીવનનું આખું ધ્યેય બદલાઈ જાય છે અને ‘મારું શું છે’ (મારુ શુ થશે)ની મૂંઝવણમાંથી બહાર નીકળી શકાય છે.
- તમે જેવું આરોગો છો તેવા તમે બનો છો: તમે શું ખાઓ છો તે જોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે ખોરાકમાં પ્રાણ વધારે હોય છે અને આરોગ્યપ્રદ હોય છે તે મન અને શરીર માટે સરળ હોય છે.
- કેટલાક મંત્રોના જપનો અભ્યાસ કરો: મંત્ર જાપ કરવાથી ઊર્જા વધે છે અને મન શાંત થાય છે.
યોગાભ્યાસ શરીર અને મનના વિકાસમાં મદદ કરે છે અને ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. તેમ છતાં, તે દવાનો વિકલ્પ નથી. મહત્ત્વનું તો એ છે કે પ્રશિક્ષિત શ્રી શ્રી યોગ શિક્ષકની દેખરેખ હેઠળ યોગની મુદ્રાઓ શીખીને તેનો અભ્યાસ કરવો. કોઈપણ તબીબી સ્થિતિના કિસ્સામાં, ડૉક્ટર અને શ્રી શ્રી યોગ શિક્ષકની સલાહ લીધા પછી યોગ મુદ્રાઓનો અભ્યાસ કરો.