આર્ટ ઓફ લિવિંગ ના આંતર રાષ્ટ્રીય કેન્દ્ર માં વર્ષ દરમ્યાન નો  “નવરાત્રી ઉત્સવ” સૌથી વિશાળ કાર્યક્રમ છે. જેમાં હજારો લોકો ઉપસ્થિત રહે છે.આ ઉત્સવ માં અત્યંત ચોક્કસાઈ પૂર્વક પ્રાચીન વૈદિક પૂજા કરવામાં આવેછે.

આર્ટ ઓફ લિવિંગ ના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર “વેદ આગમ સંસ્કૃત મહા પાઠશાળા” (Ved Agma samskruth Maha Pathshala ) ના આચાર્ય હોવાના નાતે માનનીય     શ્રી એ.એસ. સુંદર મૂર્તિ શિવમ પર આ પૂજા નો મોટો આધાર રહેલો છે. આચાર્ય હોવા ઉપરાંત આ પૂજાના પ્રધાનાચાર્ય પણ છે.તેઓશ્રી પુરોહિત કુટુંબ નાજ સભ્ય છે.તેઓશ્રી એ ૧૦૦૫ કુંભાભિષેકમ તથા ૨૧૦૦ થી વધુ સંખ્યામાં ચંડીયજ્ઞનું આયોજન વિશ્વભરમા કરેલ છે. આર્ટ ઓફ લિવિંગ ના નવરાત્રી પૂજન નું ૧૯૯૪ થી સંચાલન કરી રહ્યા છે. અહીં આ પ્રધાનાચાર્ય દ્વારા કેટલાક પ્રશ્નો ની ઊંડાણ પૂર્વક સમજુતી આપવામાં આવેલ છે.